ભચાઉઃ ચોબારીમાં યુગલે સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
ભચાઉઃ ચોબારીમાં યુગલે સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો 1 - image


પાંચ મહિના પૂર્વે લગ્ન થયા, ૩ દિવસ પહેલા ગુમ થયા અને સીમાડેથી બંનેની લાશ મળી આવી

ગાંધીધામ: ભચાઉ તાલુકાના ચોબારી ગામના નિર્જન સીમાડે ઝાડ પર લટકતાં યુવાન કોલી યુગલના મૃતદેહ મળી આવતાં આઘાત સાથે અરેરાટી છવાઈ ગઈ છે. માત્ર ૫ંચ મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલા યુગલે ૩ દિવસ પહેલા આપઘાત કરી લેતા સમગ્ર ચોબરી ગામમાં અરેરાટી ફેલાઈ છે. 

આ અંગે ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું કે, મરણ જનાર દંપતી ચોબારી ગામમાં રહેતું હતું. મૃતક યુવકનું નામ ખીમજી અણદાભાઈ મહાલીયા (કોલી) ઉ.વ. ૨૮ અને તેની પત્નીનું નામ હનાબેન કોલી ઉ.વ. ૨૫ છે. બંનેએ લગભગ ત્રણેક દિવસ અગાઉ સજોડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ભચાઉ પોલીસના જણાવ્યા મુજબ બંનેના લગ્ન થયાના હજુ ૫ મહિના જેટલો જ સમય થયો છે. સામાજિક રીત-રસમ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા. દરમિયાન લગભગ ૩ દિવસ પહેલા પતિ-પત્ની અચાનક ગાયબ થઈ ગયા હતા, જેથી પરિવારે બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે મળ્યા ન હતા. દરમિયાન ચોબારી ગામની સીમમાં બંનેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે બન્નેએ સજોડે આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે હજુ સુધી યુગલની મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું ન હોવાનું ભચાઉ પોલીસે જણાવ્યું હતું.



Google NewsGoogle News