અંજારઃ કાર અને ટ્રકના બે જીવલેણ અકસ્માત, બે યુવકના અકાળે મૃત્યુ

- ભીમાસર નજીક કાર હડફેટે બાઈકસવાર યુવાનનું મોત અંજારમાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
અંજારઃ કાર અને ટ્રકના બે જીવલેણ અકસ્માત, બે યુવકના અકાળે મૃત્યુ 1 - image

ગાંધીધામ, સોમવાર 

અંજાર અને ભીમાસર પાસે કાર અને ટ્રકે સર્જેલા બે જીવલેણ અકસ્માતમાં બે યુવકના અકાળે મૃત્યુ નિપજ્યાં છે. અંજારનાં એપીએમસી સર્કલ પાસે હોટલ નજીક રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટેલીધું હતુ. જ્યારે, ભીમાસર ગામ નજીક રોડ પર કાર ચાલકે બાઈકને હડફેટે લીધો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું.

આ અંગે અંજાર પોલીસ માથકેાથી મળતી માહિતી અનુસાર અંજારના ભીમાસર ગામ નજીક રોડ પર કારના ચાલકે બાઈક પર જતા યુવાનને હડફેટે લીધો હતો. જેમાં ૪૫ વર્ષીય બાઈક ચાલક વિનોદભાઈ પાસવાન (રહે. નંદગામ, ભચાઉ)ને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેનું ઘટના સૃથળ પર મોત નીપજ્યું હતું. જે અંગે અંજાર પોલીસ માથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.  જ્યારે, અંજારનાં વરસામેડીમાં રહેતા રામજીભાઈ ભોજાભાઈ સેખવાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીનો પુત્ર ૨૪ વર્ષીય નારણ પોતાની બાઈક લઈ કામ પરાથી વરસામેડી પરત આવી રહ્યો હતો.

દરમિયાન અંજારમાં એ. પી. એમ. સી સર્કલ આગળ આવેલી હોટલ નજીક ટ્રકનાં ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનને હાથ - પગ અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં યુવાનનું ઘટના સૃથળ પર મોત નીપજ્યું હતું.જેાથી ફરિયાદીએ ટ્રક ચાલક વિરુદ્ધ અંજાર પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી.

મોખાણાની સીમમાં ઝાડ પર લટકી આધેડનો આપઘાત

ભુજ : ભુજ તાલુકાના મોખાણા ગામની સીમમાં માનસિક બીમારીથી કંટાળીને ૪૩ વર્ષીય આાધેડે ઝાડની ડાળી પર દોરડાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મોખાણા ગામે રહેતા ખેતાજી ભીમજી મકવાણા નામના આાધેડે સોમવારે માનસિક બીમારીથી કંટાળી જઇને સાડા બાર વાગ્યાના અરસામાં ગામની સીમમાં બાવડના ઝાડની ડાળ પર રસ્સો બાંધીને આપઘાત કરી લેતાં તેમને સારવાર માટે ભુજ હોસ્પિટલમાં તબીબે સાંજે છ વાગ્યે મૃત જાહેર કરતાં પધૃધર પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News