અંજારમાં આડા સંબંધનો વહેમ રાખી યુવાનનું અપહરણ કરી જવાયું

Updated: May 10th, 2024


Google NewsGoogle News
અંજારમાં આડા સંબંધનો વહેમ રાખી યુવાનનું અપહરણ કરી જવાયું 1 - image


પિતા ફરિયાદ કરવા પહોચ્યા તે સમયે જ યુવાનને છોડી મૂકાયો

ગાંધીધામ: અંજારમાં પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી યુવાનને ગાડી માથી ઉતારી માર મારી તેનું અપહરણ કરી જવામાં આવ્યું હતું. જેથી યુવાનના પિતા પોલીસ મથકે પહોચતા તેને છોડી પણ મૂકવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.  

 આ અંગે અંજાર પોલીસ મથકે વિજય નગરમાં રહેતા નારણભાઇ કરશનભાઈ કાતરીયાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, ફરિયાદીનો ૨૨ વર્ષીય પુત્ર તુષાર તેના મિત્રો રાહુલ, રાજ અને પારસ સાથે સાપેડા રોડ પરથી અંજાર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક્ટિવાથી આવેલા નયન સોરઠિયા અને એક અજાણ્યા ઇસમે તેમણે રોક્યો હતો અને ગાડી માથી નીચે ઉતારી માર મારવા લાગ્યા હતા. એટલામાં નયનનો ભાઈ અજય અન્ય એક્ટિવાથી આવી તુષારનો અપહરણ કરી ગયા હતા. જે બાબતની જાણ થતાં ફરિયાદી પોલીસ મથકે પહોચ્યા હતા, પરંતુ પાછળથી આરોપીઓએ તુષારને છોડી મૂક્યો હતો. ફરિયાદીએ જણાવ્યુ હતું કે, નયનની પત્ની સાથે તુષારના આડા સંબંધ હોવાનો વહેમ રાખી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાથી આરોપીઓ વિરુદ્ધ મારામારી અને અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 


Google NewsGoogle News