ફતેપુરા તાલુકાના લખણપુર ગામે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવારનું મોત

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ફતેપુરા તાલુકાના લખણપુર ગામે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવારનું મોત 1 - image


- અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થયો

ફતેપુરા : શનિવાર સાંજે ૭.૩૦ વાગે લખણપુરના તળ ગામનો યુવાન ગામમાં ઘંટી ઉપર અનાજ દળાવવા મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો.તે સમયે ઝાલોદથી સંતરામપુર તરફ જતી અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાયકલ ચાલક યુવાનને પાછળથી અડફેટમાં લઈ અકસ્માત સર્જી  ગાડીને સ્થળ ઉપરથી ભગાવી ગયેલો હતો.ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.સુખસર પોલીસે લાશને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી અકસ્માત સર્જી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના લખણપુરના તળ ગામ ખાતે રહેતા રાકેશભાઈ હુમજી ભાઈ ચારેલ (ઉ.વ.આ.૩૫) ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા.શનિવાર સાંજે  ગામમાં ઘંટી ઉપર અનાજ દળાવવા મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા. લખણપુર બસ સ્ટેશન પાસે હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તેવા સમયે પાછળ આવતી ઝાલોદ થી સુખસર તરફ જઈ રહેલ  ગાડીના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ  હંકારી લાવી રાકેશભાઈ ચારેલની મોટરસાયકલને ટક્કર મારતા રાકેશભાઈ મોટરસાયકલ ઉપરથી ઉછળી હાઇવે ઉપર પડયા હતા.જેમાં રાકેશભાઈને  ગંભીર ઇજા પહોંચતાં તેઓને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ  મોત  નિપજ્યુ છે. અકસ્માત સંદર્ભે સુખસર પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી લાશના પંચનામાં બાદ લાશને પી.એમ માટે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી છે. તેમજ અકસ્માત સર્જી મોત નીપજાવી  ગાડીને લઈ ભાગી છૂટનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News