સંધાણા ભરવાડ વાસ પાસે બાઈક પરથી પડી ગયેલા ચાલકનું મોત

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
સંધાણા ભરવાડ વાસ પાસે બાઈક પરથી પડી ગયેલા ચાલકનું મોત 1 - image


- હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાની ચર્ચા

નડિયાદ : સંધાણા ઉર્સમાં જઈ રહેલા માતર તાલુકાના હૈજરાબાદના યુવાનનું સંધાણા ભરવાડ વાસ પાસે મોટરસાયકલ પરથી પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

- માતરના હૈજરાબાદનો યુવક સંધાણા ઉર્સમાં જતો હતો ત્યારે કોઈ કારણસર રોડ પર ઢળી પડયો

માતર તાલુકાના હૈદરાબાદમાં રહેતા સગીરોદિન ઇસામમિયાં મલેક તા.૨૬મીની રાત્રે મોટરસાયકલ લઇ સંધાણા ઉર્સમા જતો હતો. આ દરમિયાન સંધણા ભરવાડ વાસ પાસે રાત્રિના નવ વાગ્યાના સુમારે બાઈક ચાલક સગીરોદિન ઉંમર આશરે ૪૮ વર્ષ કોઈ કારણસર બાઈક પરથી રોડ ઉપર પડી ગયો હતો. 

જેથી તેનું માથામાં તેમજ શરીર પર ઈજા થતા મોત નિપજ્યું હતું. બીજી બાજુ આ યુવકનું અચાનક અટેક આવતા મોત નિપજ્યું હોવાનું ચર્ચાઇ રહયું છે. આ બનાવ અંગે ઇમામ મિયા ઈસામમિયા મલેકની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News