નડિયાદ નજીક આઈસરની ટક્કરે બાઈક ચાલકનું મોત

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
નડિયાદ નજીક આઈસરની ટક્કરે બાઈક ચાલકનું મોત 1 - image


- છઠ્ઠા માઈલ હાઈવે બ્રિજ પર અકસ્માત

- નોકરી પરથી છૂટી નડિયાદથી અમદાવાદ જઈ રહેલા આધેડને અકસ્માત નડયો 

નડિયાદ : નેશનલ હાઈવે નં.૪૮ પર આવેલા છઠ્ઠા માઈલ બ્રિજ પર બુધવારે સવારે આઈસરની ટક્કરે અમદાવાદના બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદમાં રહેતા વિનોદભાઈ જીવાભાઈ પંચાલ (ઉં.વ.૪૪) નડિયાદ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. તે બુધવારે સવારે નોકરી પરથી છૂટી બાઈક પર નડિયાદથી અમદાવાદ જઈ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે નં.૪૮ પર છઠ્ઠા માઈલ બ્રિજ ઉપર પુરઝડપે આવેલા આઈસર ચાલકે બાઈકને અડફેટે લેતા વિનોદભાઈ રોડ પર પટકાયા હતા. જેથી તેમના શરીર પરથી વાહન ફરી વળતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં હાઈવે ઓથોરીટીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અંગે મૃતકના ભાઈ ભાઈલાલભાઈ પંચાલની ફરિયાદના આધારે માતર પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News