ભાટેરાના યુવકનો વાવના મુવાડા કેનાલ પાસે ફાંસો ખાઈ આપઘાત

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ભાટેરાના યુવકનો વાવના મુવાડા કેનાલ પાસે ફાંસો ખાઈ આપઘાત 1 - image


- આત્મહત્યાનું કારણ અકબંધ

- સાંજે ગુમ થયેલા યુવકનો બીજા દિવસે સવારે મૃતદેહ મળ્યો 

કઠલાલ : કઠલાલ તાલુકાના ભાટેરા ગામના ૨૨ વર્ષીય યુવકનો મંગળવારે સવારે વાવના મુવાડા કેનાલ પાસે ઝાડ પર ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. આપઘાત પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. 

ભાટેરા ગામે રહેતો અક્ષય ઉર્ફે અકો સંજય પરમાર (ઉં.વ.૨૨) સોમવારે સાંજે ઘરેથી કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલી જઈ રહસ્યમય રીતે લાપતા થયો હતો. જેથી પોલીસે શોધખોળ હાથ ધરી હતી. 

તેવામાં મંગળવારે સવારે વાવના મુવાડા કેનાલ પાસે લીમડાના ઝાડ સાથે દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં અક્ષયનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ કઠલાલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. 

મૃતકના ભાઈ સંજય ઉર્ફે લાલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મૃતકે અગમ્ય કારણોસર ફાંસો ખાધો હોવાનું તથા ઘટનાસ્થળ પાસેથી મૃતકનું બાઈક મળી આવ્યું હોવાનું અને આપઘાતના કારણ અંગેની તપાસ હાથ ધરાઈ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. 


Google NewsGoogle News