જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક કારની હડફેટે યુવાન ઘવાયો: ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક કારની હડફેટે યુવાન ઘવાયો: ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ 1 - image

જામનગર,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરમાં વધી રહેલા ટ્રાફીકને કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. બેફામ ગતિએ વાહનો દોડી રહ્યા છે, જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત દિગ્જામ સર્કલ નજીક સજાર્યો હતો. જેમાં પુર ઝડપે આવી રહેલી એક કારે બાઇક ચાલક યુવાનને હડફેટે લેતાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક રહેતા અનિલભાઈ રાવળ ગત તા.21 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેમના બહેનના ઘરેથી પોતાના ઘરે ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે માલધારી હોટેલ પાસે પહોંચતા અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લેતાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.

 આ બનાવ અંગે તેમના ભાઈએ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ સિટી સી.  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી બાદ પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News