જામનગરના દોઢિયા ગામમાં નહેરમાં પડી જવાથી ભરવાડ યુવાનનું અપમૃત્યુ
image : Pixabay
જામનગર,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
જામનગર તાલુકાના દોઢિયા ગામમાં રહેતા એક ભરવાડ યુવાનનું પોતાની વાડી નજીક આવેલી નહેરમાં પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું છે.
જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતો ધીરાભાઈ લીંબાભાઇ ટોયેટા નામનો 45 વર્ષનો ભરવાડ યુવાન કે જે પોતાની વાડીએ નહરના કાંઠેથી પસાર થતો હતો, જે દરમિયાન અકસ્માતે પડી ગયો હતો, અને બેશુદ્ધ બન્યો હતો.
તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ મંગાભાઈ લીંબાભાઈએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.