જામનગરના ચાંપાબેરાજા ગામના યુવાને 20 દિવસ પહેલાં થયેલા છૂટાછેડાના આધાતમાં ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
જામનગરના ચાંપાબેરાજા ગામના યુવાને 20 દિવસ પહેલાં થયેલા છૂટાછેડાના આધાતમાં ઝેરી દવા પી લઇ આપઘાત  કર્યો 1 - image


Jamnagar Suicide Case : જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા એક વિપ્ર યુવાને પોતાના 20 દિવસ પહેલાં છૂટાછેડા થઈ ગયા બાદ પોતાની પુત્રીના કબજાને લઈને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.

 આ બનાવની વિગત એવી છે કે ચાંપા બેરાજા ગામમાં રહેતા મયુર જગદીશભાઈ ભટ્ટ નામના 29 વર્ષના વિપ્ર યુવાને પોતાના હાથેથી બાથરૂમમાં ઝેરી દવા પી લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ યજ્ઞેશ જગદીશભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી.ડિવિઝનનો સ્ટાફ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 જ્યારે પોલીસ પૂછપરછ દરમિયાન જાહેર કરાયું હતું, કે મૃતક યુવાનના આજથી 20 દિવસ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને પોતાની બે વર્ષની પુત્રીનો કબજો પત્નીને અપાયો હોવાથી પુત્રીના વીયોગમાં તેને મનમાં લાગી આવ્યું હતું, અને આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News