જામનગર નજીક ઢીંચડા ગામે આવેલા તળાવમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ઢીંચડા ગામે આવેલા તળાવમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગરમાં ધરારનગર આવાસમાં રહેતો એક યુવાન ઢીંચડા ગામે આવેલા તળાવમાં નાહવા પડ્યો હતો, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે. 

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ધરાનગર આવાસ ના બ્લોક નંબર ૨૪ માં રૂમ નંબર 23માં રહેતો દીપક બાવનજીભાઈ પરમાર નામનો 40 વર્ષનો યુવાન કે જે ગઈકાલે બપોરે 12:00 વાગ્યાના અરસામાં ઢીંચડા ગામે આવેલા તળાવમાં નહાવા માટે પડ્યો હતો. જયાં ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના સંબંધી મનોજ રમેશભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News