જામનગરમાં યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત : પ્રેમ પ્રકરણ કારણભૂત?

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
જામનગરમાં યુવાનનો અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત : પ્રેમ પ્રકરણ કારણભૂત? 1 - image


Jamnagar Suicide Case : જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં એક યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ આપઘાત પાછળનું કારણ જાણવા સહિતની જુદી-જુદી દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

 પ્રાપ્ત વિગત મુજબ જામનગરના હનુમાન ટેકરી ખાતે રહેતાં ચિરાગ વશરામભાઈ ગલચર (ઉ.વ.30) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 આ બનાવ અંગે મૃતકના ભાઈ મયૂર વશરામભાઈ દ્વારા સિટી સી. ડિવિઝન પોલીસમાં જાણ કરાતાં પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. મૃતક યુવાને પોતાના મોબાઈલ ફોનમાંથી અરુણા નામની એક યુવતીને ફોન કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાક સમયથી જેના સંપર્કમાં હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં પ્રેમ પ્રકરણ કારણભૂત છે કે કેમ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News