જામનગર નજીક ધુંવાવ પાસે આવેલા ઇસ્કોન મંદિરે દર્શનાર્થે જઈ રહેલી મહિલાનું અજાણ્યા વાહનની હડફેટે મોત

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ધુંવાવ પાસે આવેલા ઇસ્કોન મંદિરે દર્શનાર્થે જઈ રહેલી મહિલાનું અજાણ્યા વાહનની હડફેટે મોત 1 - image

image : Freepik
Accident in Jamnagar : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધુંવાવ નજીક આવેલા ઇસ્કોન મંદિરે દર્શનાર્થે ગયેલા એક મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટેમાં લઇ કચડી નાખતાં ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નિપજ્યું છે. જે અકસ્માત મામલે પોલીસ તપાસ ચલાવે છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શિવ રેસીડેન્સી મા રહેતા સુમનબેન અભિમન્યુ પવાર નામના પરપ્રાંતિય મહિલા, કે જેઓ જામનગર-રાજકોટ ધોરી માર્ગ ધુંવાવ નજીક આવેલા ઇસ્કોન મંદિરે દર્શનાર્થે ગયા હતા, અને દર્શન કર્યા પછી રણજીત નગર તરફ પરત આવવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા.

 જે દરમિયાન પુર ઝડપે આવી રહેલા કોઈ અજ્ઞાત વાહનના ચાલકે સુમનબેનને ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લેતાં તેઓને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સતીશ અભિમન્યુ પવારે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અજ્ઞાત વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News