જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી વેપારી મહિલાને જૂની અદાવતના કારણે ધમકી, નામચિન શખ્સ સામે ફરિયાદ

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી વેપારી મહિલાને જૂની અદાવતના કારણે ધમકી, નામચિન શખ્સ સામે ફરિયાદ 1 - image


Death Threat in Jamnagar : જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી એક વેપારી મહિલાએ પોતાના ઘરે આવી ધાકધમકી આપવા અંગે નામચીન શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. અગાઉ આરોપી વિરુદ્ધ કેસ કર્યો હોવાથી તે કેસમાં આરોપી જામીન પર છૂટ્યા પછી સમાધાન કરી લેવા માટે ઘરે આવી ધમકી આપ્યાનો મામલો પોલીસ દફતરે લઈ જવાયો છે. જેથી આરોપી સામે બીજીવાર ફરિયાદ થઈ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી ભાવનાબેન મુકેશભાઈ તન્ના નામની લોહાણા વેપારી મહિલાએ પોતાને તથા પોતાના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેજ વિસ્તારમાં રહેતા હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભાવનાબેનને અગાઉ આરોપી હિતેશ અને તેના સાગરીત બીપીન સામે લૂંટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં બંને આરોપીઓની ધરપકડ થયા પછી આરોપી હિતેશ હાઇકોર્ટમાંથી જામીન મેળવીને બહાર આવ્યો હતો, જ્યારે તેનો મિત્ર બીપિન જેલમાં હોવાથી તે કેસમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરી ધાકધમકી અપાતાં મામલો ફરીથી પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે હિતેશ ઉર્ફે સાકીડા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News