જામનગર નજીક નાઘેડીમાં યુવાનની હત્યા નિપજાવનાર મૃતકની પત્ની અને તેના પ્રેમીને જેલમાં ધકેલી દેવાયા

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક નાઘેડીમાં યુવાનની હત્યા નિપજાવનાર મૃતકની પત્ની અને તેના પ્રેમીને જેલમાં ધકેલી દેવાયા 1 - image

image : Freepik

Jamnagar Murder Case : જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર ધારદાર હથિયારનો ઘા મારી હત્યા નિપજાવ્યા પછી પુરાવાનો નાશ કરવા માટે સળગાવી નાખવા અંગે પકડાયેલી મૃતકની પત્ની અને તેણીના પ્રેમીને અદાલત સમક્ષ રજૂ કરાયા પછી બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુર સુમાત નામના 36 વર્ષના ચારણ યુવાનનો હત્યા કરાયેલો અને ત્યારબાદ સળગાવી દેવાયેલો મૃતદેહ તેના ઝુંપડાની સામે એક ખાટલા પરથી મળી આવ્યો હતો.

 આ મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને મૃતક યુવાનની પત્ની જીવણીબેન કિશોરભાઈ અને તેણીના પ્રેમી સગરાજ સુમાતની ધરપકડ કરી લીધી હતી. બંનેએ પોતાના પ્રેમમાં આડખીલી રૂપ કિશોર સુમાતનું કાસળ કાઢી નાખ્યું હતું.

 જેઓએ હત્યામાં ઉપયોગમાં લીધેલો લાકડાનો ધોકો, તેમજ મોટરસાયકલ કબજે કરી લીધા હતા અને બંનેને અદાલત સમક્ષ રજૂ કરાયા પછી અદાલતે તેઓને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો છે.


Google NewsGoogle News