જામનગરના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
જામનગરના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ 1 - image

image : Freepik

જામનગર,તા.08 માર્ચ 2024,શુક્રવાર

જામનગરમા લાલપુર ચોકડી પાસે 700 એમ.એમ.ડાયાની મુખ્યપાઈપ લાઈન ઓવર બ્રિજ કન્સ્ટ્રક્શના કામમાં નડતરરૂપ થતી હોય જેને શીફટીંગ કરવાની તથા તેના જોડાણની આનુસાંગીક કામગીરી કરવાની થતી હોય જેને તા.10/3/24 નાં અમુક ઝોનમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.

જામનગરમાં લાલપુર ચોકડી પાસે ઓવર બ્રિજ નિર્માણનું કાર્ય ચાલુ છે. ત્યાંથી પસાર થતી પાણીની પાઇપ લાઈન શિફટિંગ કરવાની છે. આથી  તા.10/03/2024 રવિવારના રોજ ગોકુલનગર ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો, શીવનગર-2, શ્યામનગર, નારયણનગર, શ્રૃતિ પાર્ક, મુરલીધરનગર, નવાનગર, કૈલાશનગર, સાંયોનાગલી ડાબી સાઈડ, રાજરાજેશ્વરી, બાલમુકુંદ સોસાયટી, સીતારામ સોસાયટી, સોહમનગર, વિજયનગર, સુભાષનગર, ઓશવાળ સોસાયટી શીતલપાર્ક, મોહનનગર, ખાખીનગર, સિધ્ધાર્થનગર, મયુર એવન્યુ, સ્વામીનારાયણનગરમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

  ઉપરાંત તા.11/03/2024 સોમવારના રોજ ગોકુલનગર ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો ગોકુલનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, પ્રજાપતિ સોસાયટી, દલવાડી સોસા., સોમનાથ સોસા., વૃંદાવન–1, 2, રામનગર, અયોધ્યાનગ૨, મારૂતિનગર, સરદારનગર, સરદારપાર્ક, દ્વારકાધીશ સોસાયટી, દ્વારકેશ 1 થી 4, માઘવબાગ-1, 2, 3, 5, 6, મહાલક્ષ્મીપાર્ક, પ્રણામી ટાઉનશીપ, ખોડીયારનગર વિગેરે તા. 10/03/2024 રવિવારના રોજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો, ઈવાપાર્ક, રઘુવીરપાર્ક, સુભાષપાર્ક,નિલકંઠ પાર્ક, ન્યુ.નવાનગર, મયુર ટાઉનશીપ, ખોડીયાર પાર્ક, મયુરબાગ, સેટેલાઈટ પાર્ક,શ્રીજીપાર્ક, મારૂતિનંદન, મારૂતિ રેસીડેન્સી, પુષ્કરધામ, ગોકુલધામ, મંગલધામ, હરીધામ વિગેરે વિસ્તારો, તા.11/03/2024 સોમવારના રોજ જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો ધોરીવાવ, ખોડિયાર વિલા, ખોડલ ગ્રીન્સ, શીવધારા-4, જેજે જશોદાનાથ-1, 2, ક્રિષ્નાપાર્ક, ઓમપાર્ક, શીવધારા-1, 2 , જયોતીપાર્ક-1, 2, જયહરી પાર્ક વિગેરે વિસ્તારો તા.૧૦/૦૩/૨૦૨૪ રવિવારના રોજ રવિપાર્ક ઝોન એ—હેઠળ આવતા વિસ્તારો બાલાજીપાર્ક-1, 2, 3, ડીફેન્સ કોલોની, આનંદ કોલોની, ચાલી વિસ્તાર, મહાદેવનગર, મયુરનગ૨, ભક્તિનગર,પુરબીયાની વાડી, ભીંડાવાડી, રાધેક્રિષ્ના સોસા., નિલકંઠ પાર્ક, શીવ ટાઉનશીપ, તીરૂપતિ પાર્ક-2 વિગેરે તા.૧૧/૦૩/૨૦૨૪ સોમવારના રોજ રવિપાર્ક ઝોન-બી હેઠળ આવતા વિસ્તારો કોમલનગર, ઈન્દીરા કોલોની, સિધ્ધાર્થનગર, ખેતીવાડી, મયુરનગ૨, વામ્બે આવાસ, મયુરનગ૨ આવાસ, દેવનગર, રાજીવનગર, બલદેવનગર, વાયુનગર, સેનાનગર, આકાશનગર, મુરલીધરનગર, ઓમ સાંઈરામ પાર્ક, યોગેશ્વર ધામ, જય દ્વારકાધીશ પાર્ક, રવિપાર્ક ટાઉનશીપ, કનૈયા પાર્ક, સ્વામીનારાયણ ધામ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

તા.10/03/2024 રવિવારના રોજ બંધ રહેવા પામેલ હોય તેઓને તા.12/03/2024 મંગળવાર ના રોજ પાણી વિતરણ કરવામાં આવશે અને તા.11/03/2024 સોમવારના રોજ બંધ રહેવા પામેલ હોય તેઓને તા.13/03/2024 બુધવારના રોજ રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે, તેમ જામનગર મહાનગર પાલિકાના વોટર વર્કસ શાખા નાં કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.


Google NewsGoogle News