જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળના હોદ્દેદાર અગ્રણીઓએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કર્યા

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળના હોદ્દેદાર અગ્રણીઓએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કર્યા 1 - image


જામનગર, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અગ્રણીઓ સ્પેશિયલ આસ્થા ટ્રેન મારફત અયોધ્યા શ્રી રામ લલ્લાના દર્શને ગયા હતા. અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ ઉપર નિર્મિત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ખાતે ભગવાન શ્રીરામ લલ્લાના દર્શન કર્યા હતા.

જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળના હોદ્દેદાર અગ્રણીઓએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના દર્શન કર્યા 2 - image

વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુબ્રમણ્યભાઈ પિલ્લે, વિજયભાઈ બાબરીયા, પ્રચાર પ્રસાર જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળના સંયોજક હિરેનભાઈ ગંઢા, સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, દુર્ગા વાહિનીના સંયોજીકા કૃપાબેન લાલ સહિતના અગ્રણી કાર્યકર્તાઓ પરિવાર સાથે પહોંચ્યા હતા. અને ભગવાન શ્રી રામના દર્શનનો લ્હાવો લીધો હતો.


Google NewsGoogle News