જામજોધપુરના બાલવા ગામનો વેપારી વરલી મટકાના આંકડા લખતાં ઝડપાયો

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
જામજોધપુરના બાલવા ગામનો વેપારી વરલી મટકાના આંકડા લખતાં ઝડપાયો 1 - image

જામનગર,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામનો એક વેપારી જાહેરમાં વરલી મટકાના આંકડા લખતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના બાલવા ગામનો વેપારી કિશોરગીરી કલ્યાણગીરી ગોસાઈ, કે જે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી નશીબ અજમાવી રહ્યો છે, જે બાતમીના આધારે પોલીસે બાલવા ગામમાં દરોડો પાડી આરોપી વેપારીની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ વરલી મટકાનું સાહિત્ય વગેરે કબજે કર્યા છે.


Google NewsGoogle News