જામનગર નજીક નાગમતી નદીમાંથી અર્ધ વિકસિત નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક નાગમતી નદીમાંથી અર્ધ વિકસિત નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર 1 - image

image : Freepik

જામનગર,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

જામનગર નજીક જુના નાગના પાસે આવેલી નાગમતી નદીના પાણીના ભાગમાંથી આજે વહેલી સવારે અર્ધવિકસિત ભૃણ મળી આવતાં લોકોના ટોળા એકઠા થયા હતા.

 આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને નવજાત શિશુ કે જેના અલગ અલગ બે અવશેષો પડ્યા હતા, જે કબજે કરી લેવામાં આવ્યા છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે ગર્ભપાત કરી લેવાયો હોવાનો અનુમાન કરાયું છે, અને અર્ધ વિકસિત ભ્રૂણને અહીં ફેકવામાં આવ્યાનું અંદાજવામાં આવ્યું છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News