જોડિયાના રસનાળ ગામે અસ્થિર મગજની મહિલાનો ઝેરી દવા પી લઈ આપઘાત

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
જોડિયાના રસનાળ ગામે અસ્થિર મગજની મહિલાનો ઝેરી દવા પી લઈ આપઘાત 1 - image


જામનગર, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રસનાળા ગામે રહેતી એક અસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જોડિયા તાલુકાના રસનાળા ગામે કાનાભાઈના વાડામાં રહેતી જયોત્સનાબેન દિનેશભાઈ ચારોલિયા નામની 30 વર્ષીય મહિલા અસ્થિર મગજની હોય અને પોતે વારંવાર મરી જવાનું કહેતી હોય દરમ્યાન શનિવારે છ વાગ્યાના અરસામાં પોતાના ઝુંપડે હાજર હોય તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ દિનેશ ભગવાનજીભાઈ ચારોલિયાએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News