જામનગર શહેર અને કાલાવડમાં બે યુવાનોને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો : બંનેના અપમૃત્યુ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
જામનગર શહેર અને કાલાવડમાં બે યુવાનોને હૃદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો : બંનેના અપમૃત્યુ 1 - image

image : Freepik

Jamnagar Heart Attack Death : જામનગર શહેર અને કાલાવડમાં હૃદય રોગથી વધુ બે યુવા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાનને હૃદય રોગનું હુમલો આવી ગયો છે. જયારે કાલાવડના એક વેપારીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે.

 જામનગરમાં સંકર ટેકરી વલ્લભનગરમાં રહેતા નાથાભાઈ દામજીભાઈ ઝાલા નામના 47 વર્ષના યુવાનને પોતાના ઘેર બીમાર પડ્યા પછી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે.

 બીજો બનાવ જામનગર જિલ્લાના કાલાવડમાં બન્યો હતો. કાલાવડના શિવમ નગરમાં રહેતા પારસ ભાઈ ઉર્ફે શક્તિ વલ્લભભાઈ રાખોલીયા નામના 41 વર્ષના વેપારી યુવાનને ગઈકાલે પોતાના ઘેર હાર્ટ એટેક આવી જતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News