જામનગર અને દરેડમાં બે યુવાનોને હાર્ટ એટેક આવતાં મૃત્યુ

Updated: May 10th, 2024


Google NewsGoogle News
જામનગર અને દરેડમાં બે યુવાનોને હાર્ટ એટેક આવતાં મૃત્યુ 1 - image

image : Freepik

Heart Attack Death in Jamnagar : જામનગર શહેર અને દરેડમાં વધુ બે વ્યક્તિઓ માટે હૃદય રોગના હુમલા જીવલેણ સાબિત થયા છે. શરૂ સેક્શન રોડ પર આવેલા સરલાબેન ત્રિવેદી ભવનમાં રહેતા એક યુવાન તેમજ દરેડમાં રહેતા એક યુવાનને નિદ્રાધીન અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું છે.

 સૌપ્રથમ બનાવ જામનગરના શરૂ સેક્શન રોડ પર બન્યો હતો. જયાં સરલાબેન ત્રિવેદી ભવનમાં રહેતા પ્રાસુ સોમનાથ નામના 27 વર્ષના બંગાળી યુવાનને ગઈકાલે પોતાના ઘેર નિંદ્રાધીન અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. પોતાના ઘેર સૂતા સૂતા બેશુદ્ધ બન્યા પછી તેને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું હૃદય બધી પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 હૃદય રોગના હુમલા નો બીજો બનાવ જામનગર નજીક દરેડ વિસ્તારમાં બન્યો હતો. ત્યાં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરવા મૂળ ઉત્તર પ્રદેશના વતની કુંવરસિંહ જગરામ સિંહ જાટવ નામના 36 વર્ષના શ્રમિક યુવાનને નિંદ્રાધીન અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબે જાહેર કર્યું હતું. જે મામલે પંચકોશી બી.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News