જામનગર શહેરમાં થયેલી બે મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલાયો : LCBના હાથે એક તસ્કર પકડાયો
image : Freepik
જામનગર,તા.25 સપ્ટેમ્બર 2023,સોમવાર
જામનગર શહેરમાંથી તાજેતરમાં બે મોટર સાયકલની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી, જે બંને વાહનોની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા સાંપડી છે, અને એક તસ્કરને ઝડપી લઇ બંને ચોરાઉ બાઇક કબજે કરી લીધા છે.
જામનગરમાં ન્યુ ઇન્દિરા કોલોનીમાં રહેતા નિખિલભાઇ કાનાભાઈ ગોહિલનું બાઈક ચોરાયું હતું, જ્યારે અયોધ્યા સોસાયટી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ વિભાભાઈ કોટાનું પણ બાઈક ચોરાયું હતું, જે બંને બાઈક ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ની ટીમને સફળતા સાપડી છે.
જામનગરમાં પાણાં ખાણ શેરી નંબર 8 માં રહેતા જયસુખ રમેશભાઈ સોલંકી નામના તસ્કરને એલસીબીની ટીમે ઉઠાવી લીધો છે, અને તેની પાસેથી બંને બાઇક કબજે કરી લીધા છે. જેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.