જામજોધપુર ટાઉન અને નંદાણા ગામની બે પરણિતાને સસરિયાઓનો સીતમ : બન્નેએ પોલીસ ફરિયાદ નોંધાવી

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
જામજોધપુર ટાઉન અને નંદાણા ગામની બે પરણિતાને સસરિયાઓનો સીતમ : બન્નેએ પોલીસ ફરિયાદ નોંધાવી 1 - image


Jamnagar Crime News : જામજોધપુર ટાઉન તેમજ નંદાણા ગામમાં રહેતી બે પરણિતાએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેના સાસરીયાઓ સામે ગુનો નોંધ્યો છે.

જામજોધપુર ટાઉનમાં રહેતી માધુરીબેન રવિભાઈ કવૈયા નામની 23 વર્ષની યુવતીએ પોતાના સાસરિયાઓ સામે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે માધુરીબેનના સાસરિયાઓ પતિ રવિભાઈ વિજયભાઈ કવૈયા, તેમજ સસરા વિજયભાઈ લીલાધરભાઇ કવૈયા, સાસુ પ્રજ્ઞાબેન તેમજ નણંદ શિલ્પાબેન પ્રકાશભાઈ હરસોરા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતી પૂનમબેન હરેશભાઈ કંડોરીયા નામની પરણીતાએ પણ પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાસરાપક્ષના સભ્યો પતિ હરેશભાઈ ફરવાભાઈ કંડોરીયા સસરા વરવાભાઈ દાનાભાઈ કંડોરીયા તેમજ કારુભાઈ દાનાભાઈ, ભાવેશ વરવાભાઈ, બુદ્ધિબેન અરજણભાઈ, ભાનુબેન હરદાસભાઈ કંડોરીયા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News