જામનગરમાં ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા : ટ્રાફિક પોલીસ મુકવા માંગ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ભીડભંજન મહાદેવ મંદિર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા : ટ્રાફિક પોલીસ મુકવા માંગ 1 - image


Jamnagar Traffic Jam : જામનગરમાં લાલ બંગલા થી ટાઉનહોલ તરફ જવાના માર્ગે ભીડભંજન મહાદેવ મંદિરના દ્વારે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. અને ટ્રાફિક પોલીસ મૂકવાની માંગ ઉઠી રહી છે.

જામનગરમાં લાલ બંગલાથી ટાઉનહોલ તરફ જવાના માર્ગે ભીડભંજન મંદિરના દ્વારે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓની ભીડના કારણે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે અને વાહનચાલકોએ આ ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે.

રોજબરોજની આ ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે ભીડભંજન મંદિરના દ્વારે તેમજ તળાવની પાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થી ટાઉનહોલ તરફ જવાના માર્ગે ટ્રાફિક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોનો બંદોબસ્ત મુકવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.


Google NewsGoogle News