જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ PSI તથા એક ASI નિવૃત્ત થતાં એસપી દ્વારા વિદાયમાન અપાયું

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ PSI તથા એક ASI નિવૃત્ત થતાં એસપી દ્વારા વિદાયમાન અપાયું 1 - image

જામનગર,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર 

જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇ તેમજ એક એ.એસ.આઇ. કે જેઓ ગઈકાલે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા મોમેન્ટો અર્પણ કરી વિદાયમાન આપવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ PSI તથા એક ASI નિવૃત્ત થતાં એસપી દ્વારા વિદાયમાન અપાયું 2 - image

 જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા પીએસઆઇ આર.એલ. પંડ્યા, લીવ રિઝર્વ (રીડર બ્રાન્ચ), પીએસઆઇ આર.સી.ચાવડા, (જામજોધપુર પો.સ્ટે),તથા પીએસઆઇ જે.જી.જાડેજા (એરપોર્ટ સિક્યુરિટી,) અને એ.એસ.આઈ.

 એચ.જે. જાડેજા, (પોલીસ હેડ ક્વાર્ટર-જામનગર), કે જેઓ ગઈકાલે તા. 31.12.2023 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે.

 જેઓનો વિદાય સમારંભ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ચારેયનું મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News