જામનગરમાં દારૂનો નશો કરીને બાઈક સાથે નીકળેલા ત્રણ શખ્સો પકડાયા

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
જામનગરમાં દારૂનો નશો કરીને બાઈક સાથે નીકળેલા ત્રણ શખ્સો પકડાયા 1 - image


-  હથિયાર ધારા ભંગ બદલ જામનગર અને જામજોધપુરના બે શખ્સની અટકાયત

જામનગર,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર 

જામનગર શહેરમાં જાહેરમાં દારૂનો નશો કરીને બાઇક પર નીકળેલા ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી છે' અને ત્રણેય સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત જામનગર શહેર અને જામજોધપુર પંથકમાંથી હથિયાર સાથે નીકળેલા બે શખ્સોની પોલીસે અટકાયત કરી છે.

 જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ભાગ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ રાયજાદા નામનો શખ્સ દારૂના નશામાં ચકચૂર બનીને પોતાના સ્કૂટર પર પસાર થતાં પોલીસે તેની અટકાયત કરી લઇ વાહન કબજે કર્યું છે, અને દારૂબંધી ભાંગ બદલ ગુનો નોંધ્યો છે.

 આ ઉપરાંત ભોય સમાજની વાડી પાસેથી દારૂના નશામાં ચકચૂર બનીને બાઈક પર નીકળેલા મહેન્દ્ર વિરજીભાઈ નકુમની અટકાયેલ કરી લઇ તેનું પણ બાઈક કબજે કર્યું છે.

 આ ઉપરાંત જામનગરમાં આશાપુરા મંદિર પાસેથી દારૂના નશામાં બાઇક સાથે નીકળેલા કાંતિભાઈ ભાણાભાઈ ગુજરાતીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે પણ દારૂબંધી ભંગ અંગેના ગુનો નોંધવામાં આવ્યો છે.

 જામનગરમાં દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહેલા વિનોદ કાનજીભાઈ ભદ્રા નામના શખ્સની પોલીસે અટકાયત કરી લઇ તેની પાસેથી ગેરકાયદે હથિયાદ લાકડી કબજે કરી છે. જ્યારે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામ પાસેથી હથિયાર સાથે નીકળેલા અસલમભાઈ સોમાભાઈ જુણેજા નામના શખ્સને પણ પોલીસે અટકાયતમાં લઈ લીધો છે.


Google NewsGoogle News