જામનગરમાં ભંગારના વાડામાંથી તાંબુ પિત્તળ ચોરી કરનાર તસ્કર પકડાયો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ભંગારના વાડામાંથી તાંબુ પિત્તળ ચોરી કરનાર તસ્કર પકડાયો 1 - image

image : Freepik

Jamnagar Theft Case : જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા ભંગારના વાડામાંથી તાંબા-પિત્તળ સહિતના ભંગારની ચોરી થઈ હતી. તે ચોરાઉ સામગ્રી સાથે એક તસ્કરને સિટી સી. ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે.

 જામનગર દિગ્વિજય પ્લોટ શેરીના 49 માં રહેતો રવિ કિશોરભાઈ રાઠોડ, કે જેણે જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક ભંગારના વાડામાંથી તાંબા પીતળના ભંગારની ચોરી કરી છે. તેવી બાતમી જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસને મળી હતી. તેથી ગઈકાલે પ્રણામી સ્કૂલ પાસે વોચ ગોઠવી રવિ રાઠોડને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂપિયા 29,570ની કિંમત તાંબા પિત્તળનો ભંગાર કબ્જે કરી લીધો છે.


Google NewsGoogle News