યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી જામનગરની સરકારી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શૃંખલાનું નિર્માણ કરાયુ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી જામનગરની સરકારી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શૃંખલાનું નિર્માણ કરાયુ 1 - image


આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તેમજ યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી જામનગરની સરકારી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શૃંખલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ શૃંખલામાં આચાર્ય, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. તેઓના સામૂહિક પ્રયત્નોથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.


Google NewsGoogle News