જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા યુવાનનો ખીમલીયા ગામ પાસે આવેલી નાગમતી નદીમાંથી મૃતદેહ સાંપડ્યો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા યુવાનનો ખીમલીયા ગામ પાસે આવેલી નાગમતી નદીમાંથી મૃતદેહ સાંપડ્યો 1 - image

image : pixabay

જામનગર,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક યુવાનનો મૃતદેહ ગઈકાલે ખીમલીયા ગામની નદીના પટમાંથી મળી આવ્યો છે. જે બનાવ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર નજીક વૃંદાવન સોસાયટી શેરી નંબર ચારમાં રહેતો બટુકભાઈ હમીરભાઈ સોલંકી (ઉં.વ.48) કે જે પોતાના ઘેરથી નીકળ્યા પછી હિમાલયા ગામ પાસે આવેલી નાગમતી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

 આ બનાવ અંગે મૃતકના પુત્ર પરેશ બટુકભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News