જામનગરની કોર્ટ કેસમાં કબ્જો મેળવેલા મોબાઈલની હરરાજી 25 ઓકટોબરે યોજાશે
image : Freepik
- તા.20 થી 24 દરમ્યાન મોબાઈલ જોઇ શકાશે
જામનગર,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
જામનગરની કોર્ટમાં કબ્જે કરવામાં આવેલા મોબાઈલની જાહેર હરરાજી આગામી તા.25 ઓક્ટોબરના રોજ બપોરે 3 કલાકે ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડિંગમાં યોજાશે. જેમાં રસ ધરાવતી વ્યક્તિઓ મોબાઈલ જોવા માટે 20 થી 24 ઓક્ટોબર સુધી કચેરી કામકાજના સમય દરમિયાન 10.30 થી સાંજે 4.00 સુધીમાં નાઝીરનો સંપર્ક કરી શકશે.
પ્રિસાઇડીંગ અધિકારી આ હરરાજીની કાર્યવાહી કોઈ પણ તબક્કે મુલતવી રાખી શકશે. હરરાજીથી ખરીદ કરનારે હરરાજી પાત્ર વસ્તુની કિંમત જે-તે સમયે તુરંત જ રોકડમાં ભરવાની રહેશે. હરરાજીની રકમ જો જે-તે સમયે ભરવામાં નહીં આવે, તો હરરાજી આપોઆપ રદ્દ થયેલી ગણાશે. તેમ, રજિસ્ટ્રાર, ડીસ્ટ્રીકટ કોર્ટ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.