લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામની પ્રાથમિક શાળાના બાળકોને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચાંદીપુરા વાયરસ સંગે સમજ અપાઇ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામની પ્રાથમિક શાળાના બાળકોને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચાંદીપુરા વાયરસ સંગે સમજ   અપાઇ 1 - image


ચાંદીપુરા વાયરસ મોટે ભાગે 14 વર્ષથી નાના બાળકને રેતીની માખી મારફત ફેલાતો હોય તે વિશે બાળકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર જામનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એચ. ભાયા ની સૂચના અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં જઇને બાળકોને ચાંદિપુરા વાયરસના લક્ષણો, બચવાના ઉપાયોની સમજ આપવામાં આવી હતી.

જે અંતર્ગત લાલપુર તાલુકાના મોટી વેરાવળ પ્રાથમિક શાળા માં ચાંદીપુરા રોગ વિશે બાળકો ને જિલ્લા પંચાયત ના આરોગ્ય વીભાગના નીરજભાઈ મોદી દ્વારા ચાંદીપુરા રોગ વિશે બાળકો ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અને બાળકો ને સ્વચ્છતા વિશે સમજાવામાં આવ્યું હતું.

આ તકે મોટી વેરાવળ ના હેલ્થ વર્કર સંજયભાઈ નંદા, આશા વર્કર જોષનાબેન ખાખરીયા એ જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માં મોટી વેરાવળ પ્રાથમિક શાળા ના શિક્ષકગણ નો પણ સહયોગ મળ્યો હતો.


Google NewsGoogle News