સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા એ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા એ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો 1 - image


જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના આજરોજ બાવન માં જન્મ દિવસની ઉજવણી આણદાબાવા વૃધ્ધાશ્રમ, લીમડાલેન ખાતે વૃધ્ધાશ્રમના વડીલો તેમજ સ્કુલના બહેરા-મુંગા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવી હતી. 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા એ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો 2 - image

આ પ્રસંગે ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મેયર વિનોદ ખીમસૂર્યા, શહેર મહામંત્રીઓ પ્રકાશ બાંભણીયા, મેરામણ ભાટુ, ડે. મેયર ક્રિષ્ના સોઢા, શાસકપક્ષ નેતા આશીષ જોષી, દંડક કેતન નાખવા, મહાનગરપાલિકાના સભ્ય અરવિંદ સભાયા, પાર્થ કોટડીયા, પરાગ પટેલ, કેશુ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા, ધીરેન મોનાણી, પાર્થ જેઠવા તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અને સભ્ય મનિષ કટારીયા, સુભાષ જોષી, ક્ષત્રિય અગ્રણી પ્રવિણસિંહ જાડેજા, જૈન સમાજના અગ્રણીઓ તથા પૂર્વ ચેમ્બર પ્રમુખ કિરીટ મહેતા તેમજ સંગઠનના હોદેદારો, મિત્ર વર્તુળ અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા એ પોતાનો જન્મદિવસ આણદાબાવા આશ્રમના બાળકો અને વડીલો સાથે ઉજવ્યો 3 - image


Google NewsGoogle News