જામનગરમાં શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર દ્વારા દસ લક્ષણ પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા યોજાઈ
જામનગર,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર
જામનગર શહેરમાં મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર દ્વારા આજે દસ લક્ષણ પર્યુષણ પર્વ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી દસ લક્ષણ પર્યુષણ પુરા થતાં આજે સવારે ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા યોજાઈ હતી.જે પવન ચક્કી થી ખંભાળિયા ગેઇટ થઈને પરત ફરી હતી. શ્રી જીનેન્દ્ર ભગવાનના અભિષેક, પૂજા, પૂજ્ય ગુરુદેવનું સી.ડી.પ્રવચન જિનલબેનનો સ્વાધ્યાય, આરતી, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, વગેરે કાર્યક્રમો દસ દિવસ દરમિયાન યોજાયા હતા.
જેમાં સુનિલ પુનાતર, અજય વાધર, હિતેન મહેતા, દિલીપ શાહ વગેરે ટ્રષ્ટિઓ તથા મુમુક્ષ ભાઈઓ બહેનો જોડાયા હતા.