જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ 'રાસ ઉત્સવ' નું આયોજન

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ 'રાસ ઉત્સવ' નું આયોજન 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર 

અયોધ્યામાં આગામી ૨૨ મી તારીખે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તેની પૂર્વ સંધ્યાએ તારીખ ૨૧.૧.૨૦૨૪ ને રવિવાર ના સાંજે પાંચ વાગ્યે હાપા સ્થિત પૂ. જલારામ મંદિર પ્રાંગણમાં શ્રી જલારામ મંદિર- હાપા સેવા ટ્રસ્ટ તેમજ શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા  અન્નક્ષેત્ર હોલ અને શ્રી મંગળા- વિઠલેશ ગૌશાળા દ્વારા 'રાસ ઉત્સવ' નું આયોજન કરવામાં આવ્યું છે.આ રાસ ઉત્સવ મા જોડાવા માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હાપા ના શ્રી રમેશભાઈ દતાણી અને તેમની સમગ્ર ટિમ દ્વારા સર્વે રામભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. હાપા સ્થિત શ્રી જલારામ મંદિર રે સાંજે ૫.૩૧ કલાકે રાસ ઉત્સવ ઉજવાશે જેમાં ઓરકેસ્ટ્રા ચોઇસ ઓફ મ્યુઝિક દ્વારા મ્યુઝિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


Google NewsGoogle News