જામનગરના પ્રદર્શન મેદાનમાં મેળાની તૈયારીનો ધમધમાટ : એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડાના દબાણો દૂર કરાવાયા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
જામનગરના પ્રદર્શન મેદાનમાં મેળાની તૈયારીનો ધમધમાટ : એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડાના દબાણો દૂર કરાવાયા 1 - image


Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 20 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી 15 દિવસ માટેના શ્રાવણી મેળાનું પ્રદર્શન મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેળાની તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મેળા મેદાનના લેવલિંગ અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 જેના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી પ્રદર્શન મેદાનમાં ટ્રેક્ટર, જેસીબી સહિતની યંત્ર સામગ્રી સાથે પહોંચી ગઈ હતી અને ઝુપડાના દબાણો દૂર કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

 વારંવાર અહીં ઝુપડપટ્ટી ખડકાઈ જતી રહે છે. પરંતુ તંત્ર દ્વારા તેની તકેદારી રાખવામાં આવતી નથી. અને આજે ફરીથી આ ઝુપડાઓ હટાવવા માટેની કવાયત કરવામાં આવી હતી અને પ્રદર્શન મેદાનને ખુલ્લું કરી સમથળ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.


Google NewsGoogle News