જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં હોટલ બોયની હત્યા નિપજાવવાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં હોટલ બોયની હત્યા નિપજાવવાના પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો 1 - image


Image Source: Freepik

- હોટલમાં પોતે મુખ્ય કૂક હોવા છતાં મરનારના કારણે માન મરતબો મળતો ન હોવાથી કાસળ કાઢી નાખ્યાની કબૂલાત

જામનગર, તા. 12 નવેમ્બર 2023, રવિવાર

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલમાં કામ કરતા વેઈટરને ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવાઈ હતી, જે પ્રકરણમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખી હોટલમાંજ કામ કરતા રસોઈયાની ધરપકડ કરી લીધી હતી. જેણે હોટલમાં મરનારના કારણે પૂરતો માન મરતબો મળતો ન હોવાથી કાસળ કાઢી નાખ્યું હોવાની કબુલાત આપી છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી રાધે કાઠીયાવાડી હોટલમાં કામ કરતા હોટલ બોય વિનીત પટેલ (29વર્ષ)ની હત્યા નિપજાવાઈ હતી. સૌપ્રથમ તેનું ગળું દબાવી હત્યા કરી નાખ્યા નું જાહેર થયું હતું.

પોલીસે હોટલના સીસીટીવી કેમેરા ચકાસીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

 હોટલમાં જ રસોઇયા તરીકે કામ કરતા મૂળ રાજસ્થાનના તારુરામ ભીમારામ નાગર કે જે ની પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી, તેમજ સીસીટીવી કેમેરા વગેરે ચકાસવામાં આવ્યા હતા, અને આખરે હત્યાના બનાવ પરથી પરદો ઉચકાઈ ગયો હતો, તારુંરામે જ હત્યા કરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન હોટલમાં પોતાને કોઈ માન મરતબો મળતો ન હોવાથી પોતે મુખ્ય કુક હોવા છતાં મરનાર વિનીત પટેલને માન મરતબો મળતો હતો, તે જોઈ શક્યો ન હોવાથી તેનો ખાર રાખીને રાત્રિના નિંદ્રાધીન અવસ્થામાં તેનું કાસળ કાઢી નાખ્યું હોવાની કબુલાત આપી હતી. પોલીસ દ્વારા તેની અટકાયત કરી લીધા પછી  તેને જેલમાં ધકેલી દેવાયો છે.


Google NewsGoogle News