'છોટી કાશીમાં પવિત્ર શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ શહેરના શિવાલયોએ સજ્યા શણગાર..

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
'છોટી કાશીમાં પવિત્ર શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ શહેરના શિવાલયોએ સજ્યા શણગાર.. 1 - image


Shravan Mass Jamnagar : 'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત એવી દેવાલયોની નગરી નવાનગર-જામનગરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે જામનગરના જામ ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શિવાલયોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મંદિર પરિસરને ઝળહળતી રોશનીથી શણગારવામાં આવે છે.

 પ્રતિ વર્ષ મુજબની આ પરંપરા આ વખતે પણ જાળવવામાં આવી છે, અને જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, તેમજ જામનગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર કે જે બંને શિવ મંદિરો પર ગઈકાલે રાત્રે રોશની ગોઠવવામાં આવી છે, અને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટ થી સુશોભિત કરી દેવાયા છે.

 સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર પર ઝળહળતી રોશનીનો નઝારો ભાવીકો નિહાળી શકે, તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 


Google NewsGoogle News