જોડિયા તાલુકાના બાલાચડી ગામનો કરૂણાંજનક કિસ્સો: પિતાના મૃત્યુથી વ્યથિત થયેલી પુત્રીએ આયખું ટુંકાવ્યું

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
જોડિયા તાલુકાના બાલાચડી ગામનો કરૂણાંજનક કિસ્સો: પિતાના મૃત્યુથી વ્યથિત થયેલી પુત્રીએ આયખું ટુંકાવ્યું 1 - image


Image Source: Twitter

જામનગર, તા. 15 ઓક્ટોબર 2023, રવિવાર

જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં એક પરપ્રાંતિય યુવતીએ પોતાના પિતાના મૃત્યુથી વ્યથિત થઈ આપઘાત કરી લેતાં ચકચાર જાગી છે. 

આ બનાવની વિગત એવી છે કે, બાલાચડી ગામના રડાર સ્ટેશનના સ્ટાફ કવાર્ટરમાં રહેતા આર. સેલ્વારાની ઓમ પ્રકાશ મુતુ નામની 29 વર્ષિય મહિલાના પિતાનું છ માસ પૂર્વે તેમના તામિલનાડુ વતનમાં મૃત્યુ થતાં પિતાના મૃત્યુથી ગુમસુમ રહેતી હતી. 

દરમિયાન ગત તા. 16.10.2023 ના રોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેણીના પતિ ઓમપ્રકાશ મુતુએ જોડિયા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News