જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના અનુસંધાને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના અનુસંધાને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું 1 - image


જામનગર, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર એરપોર્ટ નજીક આવેલી આરટીઓ કચેરીમાં ૩૪ મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- ૨૦૨૪ અન્વયે ટ્રાફિક શાખા જામનગર, આર.ટી.ઓ. જામનગર અને જામનગર જીલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા ટ્રાફિક શાખાના અધિકારીઓ-સ્ટાફ, આર.ટી.ઓ. સ્ટાફ અને અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ હાજર રહી રકતદાન કરી તેનુ મહત્વ, અકસ્માતોથી કેવી રીતે બચી શકાય, ટ્રાફિકના નિયમો અંગે સમજણ આપવામા આવી હતી, ઉપરાંત રકતદાન થકી જીવન બચાવવા અપીલ કરવામા આવી હતી.


Google NewsGoogle News