જામનગરમાં રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની રિક્ષા સવારી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
જામનગરમાં રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની રિક્ષા સવારી 1 - image

જામનગર,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા નવા પદાધિકારીઓ દ્વારા શહેરને સાફ સુથરૂં બનાવવા માટેનો સંકલ્પ કરાયો છે, ત્યારે પ્રતિદિન રાત્રી સફાઈ કરવામાં આવી રહી છે, જે સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક સહિતના પદાધિકારીઓ રિક્ષામાં ફર્યા હતા, અને નિરીક્ષણ કર્યું હતું.

 જામનગરમાં રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરવા માટે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની રિક્ષા સવારી 2 - image

જામનગરના મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા વગેરે ગઈકાલે મોડી રાત્રે શહેરના પવન ચક્કીથી લાલપુર બાયપાસ સહિતના વિસ્તાર, અને દિગજામ સર્કલ, ખોડીયાર કોલોની સહિતના વિસ્તારોમાં રાત્રિના 1.30 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી સતત બે કલાક સુધી રીક્ષાની સવારી કરીને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, અને શહેરના મુખ્ય માર્ગો સાફ સુથરા બને તેની પૂરતી તકેદારી પણ રાખી હતી.


Google NewsGoogle News