જામનગરના જામજોધપુર અને જામસખપુર ગામમાં જુગારના દરોડા : 11 જુગારીઓની અટકાયત

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
જામનગરના જામજોધપુર અને જામસખપુર ગામમાં જુગારના દરોડા : 11 જુગારીઓની અટકાયત 1 - image


Gambling News Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન તેમજ જામસખપુર ગામમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા અને 11 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

જામજોધપુર પોલીસે ગઈ રાતે જુગારનો પ્રથમ દરોડો જામજોધપુર ટાઉનમાં પીપળેશ્વર મહાદેવના મંદિરવાળી શેરીમાં પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અનિલ કિશોરભાઈ કુડેચા, રવિ પરબતભાઈ ઝીંઝુવાડીયા, કાંતિભાઈ રામભાઈ મેરાણી, વિપુલ કલાભાઈ પરમાર, અને ભુપત ગોવિંદભાઈ સરવૈયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 4,030 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

જુગારનો બીજો દરોડો જામસખપુર ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મહેન્દ્રભાઈ અમરદાસ હરિયાણી, ભીખાભાઈ દાનાભાઈ રાઠોડ, ધીરુભાઈ ડાયાભાઇ સીણોજીયા, લખમણભાઈ હીરાભાઈ રાઠોડ, અને રાકેશ ખીમજીભાઈ ડીંડોરાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 3,510 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News