જામનગરમાંથી વધુ ત્રણ વ્યક્તિના મોબાઈલ ફોન ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
જામનગરમાંથી વધુ ત્રણ વ્યક્તિના મોબાઈલ ફોન ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

જામનગર શહેરમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય બની છે, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ ત્રણ વ્યક્તિના મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતી બીનાબેન પ્રફુલભાઈ ચાવડા નામની મહિલા દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવા માટે આવી હતી, જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના પર્સમાંથી ભીડનો લાભ લઈને મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ ઉપરાંત જામનગરમાં પવનચક્કી પાસે રહેતી કોમલબેન લલીતભાઈ વાઘ નામની મહિલાએ રણજીત સાગર રોડ પર આર્મી એરીયા નજીક ખરીદી માટે ગઈ હતી, જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમનો મોબાઇલ ફોન ચોરી કરી લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 આ ઉપરાંત જામનગરમાં પટેલ નગર વિસ્તારમાં રહેતા અજયભાઈ ભુપતભાઈ વાઘેલાએ પણ પોતાનો મોબાઇલ ફોન કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.


Google NewsGoogle News