જામનગરમાં મહોરમના તહેવાર નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં મહોરમના તહેવાર નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ 1 - image


Jamnagar News : આગામી દિવસોમાં આવનારા તાજીયાના જુલુસના અનુસંધાને જામનગરના સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. ની અધ્યક્ષતામાં શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. 

જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, તાજીયાના પરવાનેદારો, રાજકીય આગેવાનો, જામનગર મહાનગપાલિકાના નગરસેવકો, વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

મુસ્લિમ ધર્મનો તાજીયા-મહોરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય, તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. 

 તાજીયા-મહોરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થાય તેવી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


Google NewsGoogle News