જામનગરમાં રામનવમીના તહેવારને અનુલક્ષીને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રામનવમીના તહેવારને અનુલક્ષીને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ 1 - image


Ramnavmi Jamnagar Police Meetting : જામનગર શહેરમાં રામનવમીના તહેવારને અનુલક્ષીને રામસવારી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે, ત્યારે શહેરમાં શાંતિ જળવાયેલી રહે તેના અનુસંધાને સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં શહેર વિભાગના DySPની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં 30 થી વધુ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં રામનવમીના તહેવારને અનુલક્ષીને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ 2 - image

જામનગરના સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તારીખ 16.04.2024 ના મોડી સાંજે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને તેમજ સીટી એ. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડાની ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં રામનવમી તેમજ મહાવીર જયંતિના તહેવાર નિમિત્તે નીકળતી શોભાયાત્રા અંગે ઉપરોક્ત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તેમજ ભાઈચારો જળવાઇ રહે તે માટે શોભાયાત્રાના આયોજકો તથા હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં 30 જેટલા આગેવાનો હાજર રહયા હતા.


Google NewsGoogle News