જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં યુવાન પર હીચકારો હુમલો: પ્રેમ પ્રકરણ કારણભુત? પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં યુવાન પર હીચકારો હુમલો: પ્રેમ પ્રકરણ કારણભુત? પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ 1 - image


Crime News Jamnagar : જામનગરમાં નાગનાથ નાકા વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈકાલે રાત્રે હુમલો કરાયો છે. જે હુમલા મામલે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, અને હુમલાની ફરિયાદ નોંધાવા તજવીજ થઈ રહી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં રહેતા કપિલ નરેન્દ્રભાઈ સોઢા નામનો 39 વર્ષનો યુવાન ગઈ રાત્રે નાગનાથ નાકા વિસ્તારમાં ઉભો હતો, જે દરમિયાન પાંચ જેટલા શખ્સો ધોકા પાઇપ જેવા હથીયાર સાથે ધસી આવ્યા હતા, અને તેના પર હીચકારો હુમલો કરી દીધો હતો. જેમાં તેને માથાના ભાગે, હાથમાં તથા શરીરના અન્ય ભાગોમાં ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને હુમલાખોર આરોપીઓ સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે


Google NewsGoogle News