જામનગરમાં વાઘેર વાડા વિસ્તારમાં જૂની અદાવતનું મનદુઃખ રાખીને ગેરેજ સંચાલક સહિત ચાર વ્યક્તિ પર હુમલો
image : Freepik
Jamnagar Crime Scene : જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક યુવાને પોતાના ઉપર તેમજ અન્ય ત્રણ વ્યક્તિ પર જૂની અદાવતનું મનદુઃખ રાખીને તલવાર ધોકા લાકડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાઘેર વાડા વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા અખ્તર ઈકબાલભાઈ સચડા નામના 33 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ તેની સાથેના હૈદર, સલીમ, અને જાવેદ સહિત ચાર વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જુબેર ભાયા, સાબીર ગંઢાર, મૂર્તજા ભાયા, અને જાવીદ ઉર્ફે મચ્છર ગજીયા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ પણ તકરાર થઈ હતી, અને તેનો કોર્ટ કેસ ચાલી રહ્યા છે. તે કેસ પાછો ખેંચી લેવા માટે આરોપીઓએ દબાણ કરી તલવાર-લાકડી-ધોકા સહિતના હથીયાર વડે હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસે તમામ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.