જામનગર-રાજકોટ ધોરી માર્ગે શેખપાટ ગામ નજીક રસ્તે રઝળતા ખૂંટીયાએ વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
જામનગર-રાજકોટ ધોરી માર્ગે શેખપાટ ગામ નજીક રસ્તે રઝળતા ખૂંટીયાએ વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો 1 - image


Accident In Jamnagar : જામનગર-રાજકોટ ધોરી શેખપાટ ગામના પાટીયા નજીક ગઈકાલે રાત્રે જાહેરમાં રસ્તે રઝળતા એક ખૂંટીયાએ માનવ જિંદગીનો ભોગ લીધો છે. રસ્તામાં બાઈક ચાલકને આડે ખૂટિયો ઉતરતાં અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજા પામનાર બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું.

 જામનગર શહેર-જિલ્લામાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. પરિણામે સમયાંતરે રખડતા ઢોરને કારણે વાહન અકસ્માતો થઈ રહ્યા છે. અને તેમાં મૃત્યુ પામવાના બનાવો પણ વધી રહ્યા છે. ગઈકાલે આવા જ એક બનાવમાં બાઇક ચાલક વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

 જામનગર-રાજકોટ માર્ગે શેખપાટ ગામના પાટિયા પાસેથી દિનેશભાઈ ટંકારીયા નામના બુઝુર્ગ બાઇક લઈને પસાર થતા હતા ત્યારે અચાનક રસ્તામાં ખૂટ્યો આડો ઉતરતાં તેમને અકસ્માત નડ્યો હતો. 

આ બનાવમા તેઓને ગંભીર ઈજા થવાથી સારવાર  માટે જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News