જામનગરના જોડિયા ભુંગા વિસ્તારની મુસ્લિમ પરણીતાને સલાયામાં રહેતા પતિનો ત્રાસ: ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના જોડિયા ભુંગા વિસ્તારની મુસ્લિમ પરણીતાને સલાયામાં રહેતા પતિનો ત્રાસ: ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ 1 - image


Jamnagar Crime : જામનગરના જોડિયાભૂંગા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરણીતાને સલાયામાં રહેતા તેણીના પતિએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણીએ જામનગરમાં આવી મહિલા પોલીસ મથકમાં પતિ સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.

 જામનગરના જોડીયા ભુંગા વિસ્તારમાં રહેતી અને સલાયામાં પરણાવેલી ફિરોઝાબેન  સાલેમામદભાઈ ચંગડા નામની 36 વર્ષની વાઘેર યુવતીને સલાયામાં રહેતા તેણીના પત્તિ સાલેમામદ જીકરભાઈ ચંગડા મારકૂટ કરી ઘરમાંથી હાંકી કાઢી હતી.

 જેથી તેણીએ જામનગર પોતાના માવતરે આવી ગયા પછી મહિલા પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના પતિ સાલેમહંમદ ચંગડા સામે ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસનો દોર સલાયા સુધી લંબાવ્યો છે.


Google NewsGoogle News