જામજોધપુરના જસાપર ગામમાં દરણું દળાવવા માટે ગયેલા શ્રમિક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના જસાપર ગામમાં દરણું દળાવવા માટે ગયેલા શ્રમિક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો 1 - image

image : Freepik

જામનગર,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જસાપર ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા એક શ્રમિક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 જામજોધપુર તાલુકાના જસાપર ગામના ખેડૂત જીગ્નેશભાઈ વલ્લભભાઈ સોરઠીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની રમેશભાઈ રામસિંગભાઈ કટારા (ઉં.વર્ષ 23) કે જે ગામમાં દરણું દળાવવા માટે ગયો હતો, જે દરમિયાન તેનો રૂપિયા 13,000ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કરે ખિસ્સામાંથી શેરવી લીધો હોવાની ફરિયાદ શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવાઇ છે.


Google NewsGoogle News